અમદાવાદઃ લગ્નેતર સંબંધોમાં જ્યારે ઇતર વ્યક્તિ નીકળી જાય છે ત્યારે સંબંધોનો રીતસરનો રકાસ થાય છે. પોલીસ અધિકારી બી કે ખાચર અને તેમની મહિલા ડોક્ટરના પ્રેમપ્રકરણનો અંત છેવટે ડોક્ટરની આત્મહત્યા સાથે આવ્યો છે. ડોક્ટર વૈશાલી જોશીએ છ માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં પોતાને જ ઇન્જેકશન મારી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણથી પાંચ વર્ષ પહેલા પીઆઈ બી કે ખાચર ને ડો. વૈશાલી જોષી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. તેના પછી તે અવારનવાર મળતા હતા. બંને વચ્ચે ઝગડો થતા બી કે ખાચરે પ્રેમસંબંધ તોડી નાખ્યા હતા. તેના લીધે મૃતક ડો. વૈશાલી જોષીને લાગી આવતા અને પ્રેમી બી કે ખાચર સાથે વાત કરવા માટે અવારનવાર પીઆઇની કચેરી ખાતે મળવા પણ આવતી હતી, પણ પ્રેમી પીઆઈ ખાચર મળવાનું ટાળતા હતા. તેથી છ માર્ચના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ ડો. વૈશાલી જોષીએ સ્યુસાઇડ નોટ અને બુકમાં પોતાના પ્રેમીને સંબોધીને લખીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસ અત્યાર સુધી 22ના નિવેદન નોંધી ચૂકી છે.
આ પણ વાંચો:તમારા માટે/હંમેશા નબળાઈ અને થાક લાગે છે?, સવાર-સાંજ આ 5 મસાલાના પાઉડરનું સેવન કરો, 20 વર્ષની ઉંમરની તાકાત મળશે
આ પણ વાંચો:Holi Colors Affects Mood/તણાવથી રાહત મેળવવા માટે જોરશોરથી રમો હોળી, ગુલાલ રમવાના આ છે માનસિક સ્વાસ્થ્ય લાભ
આ પણ વાંચો:તમારા માટે/ઉધરસને કારણે તમારું ગળું ખરાબ થઇ ગયું છે , તો તાત્કાલિક રાહત માટે અપનાવો આ અસરકારક ઉપાયો