નડિયાદમાં કઠલાલના બાજકપુર ગામ પાસે ટ્રક અને જીપ વચ્ચે મંગળવાર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ રાજ્યમાંથી રોજીરોટી અર્થે ગુજરાત આવેલા લોકો જયારે પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર તુફાન જીપ ઉભેલા ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. એકાએક થયેલી અથડામણ બાદ હાઇવે પર અફરાતફરી માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે તેમજ 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતા.
ઘટનાની જાણ પોલીસને કરાતા તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને આગળની તજવીજ હાથ ધરી છે.