વિજયાદસમીના પર્વે જામનગરમાં એક કાર ચાલકે સાત લોકોને હડફેટમાં લેતા એક મહિલાનું મોત નીપજ્યું છે,જેના લીધે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરમાં મોડીરાત્રે હિટ એન્ડ રન કરીને કાર ચાલક ફરાર થઇ ગયો છે. આ હિટ એન્ડ રનમાં સાત લોકોને અડફેટમાં લીધા હતા જેમાં એક મહિલાનું મોત નીપ્જયુ છે જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના દરેડ નજીક મોડીરાત્રના હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 7થી વધુ લોકોને દરેડના રાંદલ માતાજીના મંદિર નજીક અડફેટે લીધા હતા. આશંકા છે કે, કાર ચાલક નશાની હાલતમાં હતો. જે સાત લોકોને અડફેટે લઇને ફરાર થઇ ગયો છે. ભાગવામાં આ કારની સ્પીડ વધી જવાના કારણે આશીર્વાદ રિસોર્ટ પાસે i20 કાર પલટી મારી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી કાર મળી આવી છે જ્યારે ચાલક ફરાર થઇ ગઇ છે.
આ અકસ્માતમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજ્યું છે. હાલ ઘાયલોમાંથી પણ બે લોકોની હાલત નાજુક ગણવામાં આવી રહી છે. અકસ્માત સર્જી કારચાલક નશામાં ધૂત ત્રણથી ચાર કિલોમીટર સુધી કાર લઈને પલાયન થયો હતો હતી. હાલ પોલીસે સીસીટીવી અને પૂછપરછ કરીને કાર ચાલકની તપાસ હાથ ધરી છે.