સવારનો નાસ્તો શરીર માટે ખૂબ જ જરૂરી છે. દિવસનું પહેલું ભોજન કે નાસ્તો હેલ્ધી હોવો જોઈએ કારણ કે તે સમયે આપણું પેટ ખાલી હોય છે. સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા જે કરવું જોઈએ તે છે પુષ્કળ પાણી પીવું. સવારે આપણે જે પણ ખાઈએ છીએ તે પોષણથી ભરપૂર હોવું જોઈએ. દિવસની શરૂઆત કંઈક ભારે ખાવાને બદલે હળવા ફૂડથી કરવી જોઈએ.
બદામ ખાઓ
સવારે વહેલા ઉઠીને પલાળેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.દિવસની સારી શરૂઆત કરવા માટે વહેલી સવારે 5 થી 10 બદામ ખાઓ. બદામને આખી રાત પલાળી રાખવાથી તેનું પોષણ વધુ વધે છે. સવારે વહેલા ઉઠીને બદામ ખાવાથી પણ જલ્દી ભૂખ નથી લાગતી.બદામને પલાળ્યા વગર ખાવાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે.
ખજૂર
જો તમે દિવસની શરૂઆત ઉર્જાથી કરવા માંગતા હોવ તો તમારા આહારમાં ખજૂરને અવશ્ય સામેલ કરો.ખજૂરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે અને તે ઘણા રોગોને પણ મટાડે છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે, આ ઉપરાંત ખજૂર કબજિયાત અને અપચોની સમસ્યાને પણ દૂર કરે છે.
ચિયા બીજ
નાના દેખાતા ચિયા બીજ ખૂબ આરોગ્યપ્રદ છે. તેઓ પ્રોટીનથી સમૃદ્ધ છે કારણ કે તેમાં તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે. ચિયાના બીજ આવશ્યક ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, આયર્ન અને બી વિટામિન્સથી ભરેલા છે. એક ચમચી ચિયાના બીજને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ખાઓ. તેને સ્મૂધી, તાજા ફળો અને નાસ્તામાં ઉમેરીને પણ ખાઈ શકાય છે.
પપૈયું
સવારે ખાલી પેટ પપૈયું ખાવું ખૂબ જ સારું છે. પપૈયામાં સફાઈના ગુણ હોય છે અને તે પેટને સાફ કરવામાં મદદ કરે છે. પપૈયું ત્વચા માટે પણ ઘણું સારું માનવામાં આવે છે. પપૈયું ખાધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી કંઈપણ ખાવાનું ટાળો. ખાલી પેટે પપૈયું ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થાય છે.
આ પણ વાંચો:આ ટેક્નિકથી મહિલાઓ ગર્ભવતી થયા વિના જ બની શકશે માતા, બાળકનો રંગ અને દેખાવ પસંદ કરવાનો પણ મળશે વિકલ્પ
આ પણ વાંચો:આ કારણથી લોકો હજુ પણ પહેરે છે માસ્ક, સંશોધનમાં થઇ સ્પષ્ટતા
આ પણ વાંચો:આપણે કેમ હસીએ છીએ, શું છે તેની પાછળનું વિજ્ઞાન, જાણો..