મુંબઇ,
બોલિવૂડના સૌપ્રથમ સુપરસ્ટાર રહેલ રાજેશ ખન્નાનો 29 ડિસેમ્બર એટલે કે આજે 76 મો જન્મદિવસ મનાવામાં આવી રહ્યો છે. તેમની અદાકારી આજે પણ બેમિસલ અને યાદગાર છે. ઇન્ડસ્ટ્રીમાં પ્યારથી લોકો રાજેશ ખન્નાને ‘કાકા’ ના નામથી બોલાતા હતા. રાજેશે ફિલ્મી કારકિર્દીમાં અધધધ હિટ ફિલ્મો આપી.
ફિલ્મ ‘આનંદ’ના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો ખૂબ જ પ્રસિદ્ધ છે. જ્યારે રાજેશ ખન્નાને દિગ્દર્શકથી માફી મંગાવી પડી હતી. જણાવીએ ફિલ્મના સેટ પર રાજેશ ખન્ના રોજ બે-ત્રણ કલાક માટે પહોંચતા અને ‘આનંદ’ નું શૂટિંગ કરતા હતા. સામાન્ય રીતે થોડો-ઘઘણા હંમેશા મોડા પડતા હતા. પરંતુ એક વાર તેમને વધારે મોડું થયું. ઋષિ દા સેટ પર બેઠેલા ચેસ રમતા રહ્યા હતા, જેમ જ રાજેશ ખન્ના આવ્યા, ઋષિ દા એ તેમને કોસ્ટ્યુમ-મેકઅપ માટે મોકલી દીધા. રાજેશ ખન્ના જેમ જ તૈયાર થઇને બહાર આવ્યા ત્યારે ઋષિકેશ મુખર્જીએ કહ્યું કે ‘પેક અપ’ આ સાંભળીને સેટ પર સન્નાટો છવાય ગયો ત્યારબાદ રાજેશ ખન્નાએ ઋષિ દાની માફી માંગી અને કહ્યું કે આગળથી આવુ નહીં થાય.
આપને જણાવી દઈએ કે રાજેશનો જન્મ 29 ડિસેમ્બર 1942 ના રોજ અમૃતસર (પંજાબ) માં થયો હતો. તેમનું રિયલ નામ જતીન ખન્ના હતું. તેમના અંકલ કે કે તલવારએ ફિલ્મોમાં આવે તે પહેલાં તેમનું નામથી જતીનથી બદલાવીને રાજેશ કર્યું હતું. પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયા પછી રાજેશ ખન્ના મુંબઇના ગિરગાંવ ચોપાટીમાં રહેતા હતા અને ત્યાં સ્કુલ અને કોલેજનો અભ્યાસ કર્યો હતો.
તેમનું સ્કુલસમયથી થિયેટરની બાજુમાં ધ્યાન વધુ હતું. તે વારંવાર નાટકોમાં ભાગ લીધા કરતા હતા. 60 ના દાયકાના પ્રારંભમાં રાજેશ ખન્ના પહેલા આવા સ્ટ્રગલ કરનારા ન્યૂકમર હતા જે તેમના એમજી સ્પોર્ટ્સ કારમાં બેસીને ઓડિશન આપવા જતા હતા.
રાજેશ ખન્નાએ જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં. તેમની બે દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે. રાજેશ ખન્નાને 2013 માં ભારત સરકાર તરફથી પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા.
ફિલ્મો સિવાય તેઓએ રાજનીતિમાં પણ હાથ આજ્માયો અને ક્રોંગ્રેસ પાર્ટીના નેતા પણ બન્યા. રાજેશ ખન્નાનું 18 જુલાઈ2012 ના રોજ તેમના ‘આશીર્વાદ’માં નિધન થયું હતું.