Not Set/ જેની પર આરોપ લાગ્યો છે તેને પણ વાત કરવાની તક મળવી જોઇએ : શરમન જોશી

મુંબઇ, મીટુ અભિયાન હાલ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યુ છે. આ અંગે જાણીતી બોલીવુડ સેલિબ્રીટીઓ પર ગંભીર આરોપો લાગ્યા છે. ત્યારે આ મામલે કેટલાક બોલીવુડ કલાકારોના નિવેદન પણ સામે આવ્યા છે. આ અંગે હવે બોલીવુડ અભિનેતા શરમન જોશીએ પણ પોતાનુ નિવેદન આપ્યું છે. ફિલ્મ કાશી ઈન સર્ચ ઓફ ગંગા ના પ્રમોશન દરમિયાન મીટુ અભિયાન મામલે શરમને જણાવ્યું કે, આ […]

Trending Entertainment
gz જેની પર આરોપ લાગ્યો છે તેને પણ વાત કરવાની તક મળવી જોઇએ : શરમન જોશી

મુંબઇ,

મીટુ અભિયાન હાલ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યુ છે. આ અંગે જાણીતી બોલીવુડ સેલિબ્રીટીઓ પર ગંભીર આરોપો લાગ્યા છે. ત્યારે આ મામલે કેટલાક બોલીવુડ કલાકારોના નિવેદન પણ સામે આવ્યા છે. આ અંગે હવે બોલીવુડ અભિનેતા શરમન જોશીએ પણ પોતાનુ નિવેદન આપ્યું છે.

ફિલ્મ કાશી ઈન સર્ચ ઓફ ગંગા ના પ્રમોશન દરમિયાન મીટુ અભિયાન મામલે શરમને જણાવ્યું કે, આ એક સારુ અભિયાન છે, જેનાથી છોકરીઓને હિમ્મત મળી રહી છે. પરંતુ સાથે જ જેની પ આરોપ લાગ્યો છે તેને પણ પોતાની વાત રજુ કરવાની તક આપવામાં આવે તે જરુરી છે.

શરમન જાશીએ કહ્યુ કે, આ સારી બાબત છે કે આ મૂવમેન્ટને ઓળખ મળી રહી છે અને છોકરીઓ પોતાને સુરક્ષિત પણ હવે અનુભવી રહી છે. પરંતુ સાથે જ આરોપીઓને પોતાની વાત કહેવાની તક મળવી જોઈએ.