OMG!/ દર વર્ષે લાખો જૂના ટાયર હટાવી નવા લગાવવામાં આવે છે..જાણો શું કરવામાં આવે છે જૂના ટાયરનું

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મામલા માટે પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, દર વર્ષે દેશભરમાં લગભગ 2,75,000 ટાયર કાઢી નાખવામાં આવે છે

Trending
14 3 દર વર્ષે લાખો જૂના ટાયર હટાવી નવા લગાવવામાં આવે છે..જાણો શું કરવામાં આવે છે જૂના ટાયરનું

આજકાલ મોટાભાગના ઘરોમાં વાહન હોય છે. જો તમારા ઘરમાં પણ વાહન છે, તો તમને ખબર હશે કે થોડા સમય પછી વાહનના ટાયર ખરાબ થવા લાગે છે. આ કારણોસર તેને બદલવામાં આવે છે અને જૂના ટાયર દૂર કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે જૂના ટાયર સાથે શું કરવામાં આવે છે? આ જૂના ટાયર અંગે સરકારની નીતિ છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મામલા માટે પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, દર વર્ષે દેશભરમાં લગભગ 2,75,000 ટાયર કાઢી નાખવામાં આવે છે, જ્યારે તેના નિકાલ માટે કોઈ વ્યાપક યોજના નથી. રિસાયક્લિંગ માટે દર વર્ષે લગભગ 30 લાખ વેસ્ટ ટાયર ભારતમાં આયાત કરવામાં આવે છે. 19 સપ્ટેમ્બર, 2019ના રોજ, એન્ડ ઓફ લાઈફ ટાયર/વેસ્ટ ટાયરના યોગ્ય સંચાલનને લગતી બાબતમાં, NGTએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ને વિગતવાર કચરો વ્યવસ્થાપન હાથ ધરવા અને કચરા માટે એક યોજના રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કચરાના ટાયરને રિસાયકલ કરેલ રબર, ક્રમ્બ રબર, ક્રમ્બ રબર મોડિફાઇડ બિટુમેન (CRMB), પુનઃપ્રાપ્ત કાર્બન બ્લેક અને પાયરોલિસિસ ઓઈલ ચાર તરીકે રિસાયકલ કરવામાં આવે છે. એક અહેવાલો મુજબ, NGT કેસમાં અરજદારે દલીલ કરી હતી કે ભારતમાં પાયરોલિસિસ ઉદ્યોગ હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે જેને પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે પ્રતિબંધિત કરવાની જરૂર છે. અને ઉદ્યોગ વધુ પડતા કેન્સર પેદા કરતા પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે. જે આપણા શ્વસનતંત્ર માટે ખૂબ જ નુકસાનકારક છે.