વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ઇન્ડોનેશિયાના જકાર્તામાં આસિયાન પ્રાદેશિક મંચ (ARF)ની બેઠક દરમિયાન ટોચના ચીની રાજદ્વારી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વાંગ યી સાથે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના પડતર મુદ્દાઓ પર ચર્ચા કરી.વાંગ યીને મળ્યા બાદ એસ જયશંકરે ટ્વીટ કર્યું, “સીપીસી સેન્ટ્રલ કમિશન ફોર ફોરેન અફેર્સની ઓફિસના ડાયરેક્ટર વાંગ યી સાથે મુલાકાત કરી. બેઠકમાં સરહદી વિસ્તારોમાં શાંતિ સંબંધિત બાકી મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમારી વાતચીતમાં પૂર્વીય એશિયા સમિટનો સમાવેશ થાય છે.
Just concluded meeting with Director Wang Yi of the Office of the CPC Central Commission for Foreign Affairs.
Discussed outstanding issues related to peace & tranquility in border areas.
Our conversation also covered EAS/ARF agenda, BRICS and the Indo-Pacific. pic.twitter.com/83VejZxUdX
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 14, 2023
ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં ચીન સાથે ભારતનો સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. જયશંકરે દાવો કર્યો છે કે આ તેમની લાંબી રાજદ્વારી કારકિર્દીનો સૌથી જટિલ પડકાર છે. ચીનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન વાંગ વર્તમાન વિદેશ પ્રધાન કિન ગેંગની નાદુરસ્ત તબિયતને કારણે જકાર્તામાં આસિયાનની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.આ પહેલા બુધવારે (13 જુલાઈ), વિદેશ મંત્રી એસ જયશંકરે ઈન્ડોનેશિયા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને વિયેતનામ સહિતના અનેક દેશોના સમકક્ષો સાથે બેઠક કરી હતી. જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા જયશંકરે કહ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં ભારત સરકારે મોટી સંખ્યામાં નિયમોમાં ફેરફાર કર્યા છે જેના કારણે લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હતી.