Falguni Pathak Reaction: નેહા કક્કર ફાલ્ગુની પાઠકના 90ના દાયકાના ગીત ‘મૈંને પાયલ હૈ છંકાઈ’નું રિમિક્સ કરીને ખરાબ રીતે ફસાઈ ગઈ છે. એક તરફ, જ્યાં તેણીને સોશિયલ મીડિયા પર આ ગીતના રિમિક્સ માટે ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે, ત્યારે તાજેતરમાં, આ ગીતની મૂળ ગાયિકા ફાલ્ગુની પાઠક પણ નેહાના આ રિમિક્સ વિશે સતત નિવેદનબાજી કરી રહી છે. હવે અન્ય એક ઈન્ટરવ્યુમાં ફાલ્ગુનીએ ફરી નેહા કક્કડના ગીતના રિમિક્સિંગ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે નેહાએ આ ગીતના સાર બગાડી નાંખ્યો છે.
ફાલ્ગુની પાઠકે આ ગીત રિલીઝ થતાંની સાથે જ કંઈપણ બોલ્યા વિના ટ્રોલના સ્ક્રીન શોટ્સ શેર કર્યા હતા. પરંતુ તે પછી ફાલ્ગુની પાઠક સતત નેહા કક્કર પર એક પછી એક નિવેદન આપી રહી છે. હવે ફાલ્ગુનીએ આપેલા ઈન્ટરવ્યુમાં નેહા કક્કર પર ફરીથી તીખી ટિપ્પણી કરી છે. ઈન્ટરવ્યુમાં ગીતના રિમિક્સ વિશે વાત કરતાં ફાલ્ગુનીએ કહ્યું- ‘મૈંને પાયલ હૈ છનકાઈ ગીતના રિમિક્સ વર્ઝનથી આ ગીતનો સાર બગડી ગયો છે. આ સાથે ગીતની લાગણીઓનો પણ નાશ કરી દીધો છે.
આ સાથે ફાલ્ગુન પાઠકે ઈન્ટરવ્યુમાં કહ્યું- ‘જ્યારે મને 3-4 દિવસ પહેલા રિમિક્સ વિશે ખબર પડી. પ્રથમ પ્રતિક્રિયા બિલકુલ સારી ન હતી. મને એકદમ બકવાસ સોંગ લાગ્યું. મૂળ ગીતના ચિત્રીકરણમાં જે નિર્દોષતા હતી તેનો નાશ કરવામાં આવ્યો છે. તમે જે પણ રિમિક્સ કરો છો, તે યોગ્ય રીતે કરો. જુના ગીતને યુવા પેઢી સુધી લઈ જવુ હોય તો ગીતની લય બદલો. પરંતુ તોનો સત્યાનાશ કરશો નહીં. ગીતનો સાર અકબંધ જ રાખો.
આ પણ વાંચો: Rajasthan/ સંયમ લોઢા જેવા અનેક ધારાસભ્યોએ ગેહલોતને કરી મુખ્યમંત્રી બનાવવાની માંગ
આ પણ વાંચો: Cricket/ ભારતીય ટીમમાંથી એક ખેલાડી બહાર, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
આ પણ વાંચો: મ્યુઝિયમ/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપતા ‘ખોજ મ્યુઝિયમ’ નું ઉદ્ઘાટન કરશે