સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર
રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગર નજીક ખોજાબેરાજા પાસે 26 પક્ષીના મોત થતાં પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મૃતક પક્ષીમાં 12 ટીટોડી, 6 મોર, 1 નૂતવાડી, 7 સીસોટી બતકનો સમાવેશ થાય છે.ચારેય પક્ષીના એક – એક મૃતદેહ થ્રી લેયર પ્લાસ્ટીકમાં પેક કરી બરફ પર રાખી ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જો કે, તમામ પક્ષીનો બર્ડફલુનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. કોરોના મહામારી વચ્ચે રાજયમાં બર્ડફલુના કેસથી તંત્રની મુશ્કેલી તો લોકોની ચિંતા વધી છે.
આ સ્થિતિમાં જામનગરમાં પણ પશુપાલન વિભાગની 40 ટીમ દ્વારા તમામ પોસ્ટ્રીફાર્મમાં મરધાઓની સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પક્ષીઓના નમૂના ચકાસણી અર્થે ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જો કે, તે પૈકી કોઇ પક્ષીનો બર્ડફલુનો કોઇ રિપોર્ટ પોઝિટીવ આવ્યો ન હતો.
ખીજડિયા અભયારણ્યના 70 પક્ષીના નમૂના પણ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા છે, તેનો રિપોર્ટ હજુ બાકી !
રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગરનું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આટલું જ નહીં અભ્યારણ્યમાં વિદેશથી આવતા 70 યાયાવર પક્ષીઓના નમૂના લઇ ભોપાલ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે. જો કે, હજુ આ પક્ષીઓનો બર્ડફલુનો રિપોર્ટ આવ્યો નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…