જેતપુર/ મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ: કોળી સમાજના આગેવાનોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

જેતપુરમાં પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે દયાબેન શંભુભાઈ સરીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

Top Stories Gujarat
Jetpur મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ: કોળી સમાજના આગેવાનોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

રાજકોટ: જેતપુરમાં પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે દયાબેન શંભુભાઈ સરીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ હવે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ન્યાયની માગ કરી રહ્યાં છે. આ ઘટનાના છ દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

6 દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલાની સમગ્ર ચેટ તેમજ પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. તમામ પુરાવા આપ્યા હોવા છતાં 3 પોલીસ કર્મીઓ સામે કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ કરાઈ રહ્યો છે.

આ મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ પરિવાર સાથે મંત્રણા કરી ચૂક્યા છે. આગેવાનોના સનસનીખેજ આક્ષેપો બાદ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. પોલીસ કાર્યવાહી ન કરે તો ઉપવાસ પર ઉતરવાની પણ કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

ઠાકોર કોળી સેના પ્રમુખ જયેશ ઠાકોરએ જણાવ્યું કે, પોલીસને તમામ પુરાવા આપ્યા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પોલીસ એવું જણાવી રહી છે કે, મોબાઈલ ફોન એફ એસ એલમાં મોકલવામાં આવ્યો છે. FSLના રિપોટ આવ્યા પછી જ કાર્યવાહી કરાશે. વધુમાં જયેશ ઠાકોરએ જણાવ્યું કે, એમે કેટલાક વ્યક્તિ વિરૂદ્ધ પુરાવા પણ આપ્યા છે પરંતુ પોલીસ કાર્યવાહી કરતી નથી.

આ પણ વાંચો: હદ થઇ…!/રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

આ પણ વાંચો:Panchmahal/ભાજપના ધારાસભ્યએ છંછેડ્યો વિવાદ: કહ્યું-“સ્વામિનારાયણ સંપ્રદાય એ પૈસા ભેગી કરવાની સંસ્થા છે”

આ પણ વાંચો:“પ્રતિભા”ની કસોટી..!/કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર