સાબરકાંઠા જિલ્લાના પુરવઠા ખાતાના સારવારમાં ફિઙ્ગ્ર્પૃંત એરર આવતા છેલ્લા ૬ દિવસથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરંભે ચઢી છે. જિલ્લાના 1.91 લાખ ગ્રાહકો જેને લઈને પરેશાન થઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામા આશરે 518 જેટલી સસ્તા અનાજ વિતરણ કેન્દ્ર આવેલા છે. અને સરકાર દ્વારા આ દુકાનોમાં કોઈ ગફલત ના થાય તે હેતુથી ગ્રાહકના ફિંગ પ્રિન્ટ ની સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. પરંતુ જીલ્લાના પુરવઠા ખાતાના સર્વરમાં ખામી સર્જાતા જિલ્લાના 1.91 લાખ ગ્રાહકોને છેલ્લા 6 દિવસથી અનાજ નું વિતરણ થઈ શક્યું નથી. જેને લઈને અનેક ગરીબ ગ્રાહકો સરકારી વાંકે પરેશાની ભોગવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.