બેઠક/ ગીરનારની લીલી પરિક્રમાને લઇને જૂનાગઢના કલેકટરની સાધુમંડર સાથે બેઠક

કોરોના ગાઈડલાઈનની તમામ શરતોનું પાલન કરવાની સાથે બે ડોઝ પૂર્ણ કરેલા તમામ સશક્ત-તંદુરસ્ત લોકો પરિક્રમા માટે આવેતો પ્રવેશ આપવામાં મંજૂરી આપવામાં આવે,આવો નિર્ણય જો રાજ્ય સરકાર કરે તો આ નિર્ણયને આવકારદાયક માનવામાં આવશે

Gujarat
6 2 ગીરનારની લીલી પરિક્રમાને લઇને જૂનાગઢના કલેકટરની સાધુમંડર સાથે બેઠક

ગિરનાર લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ સાધુ સમાજ કોરોનાની ગાઇડલાઇનની સાથે રસીકરણના બે ડોઝ પૂર્ણ કરી દીધા હોય તેવા યાત્રિકોને સંપૂર્ણ સલામતી સાથે પરિક્રમાપથ પર જવા દેવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો છે. જેને ભવનાથ સાધુસમાજે યોગ્ય ગણાવ્યો છે. લીલી પરિક્રમાને લઈને તમામ દિશાનિર્દેશ સાથે સામાન્ય લોકો માટે પણ પરિક્રમાનું આયોજન કરવાની માગ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગિરનારની લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટર ભવનાથ સાધુમંડળની સાથે ઉતારા મંડળ તેમજ અન્ય સામાજિક આગેવાનો અને સરકારના અધિકારીઓ સાથેની એક સંયુક્ત બેઠક બે દિવસ પૂર્વે જૂનાગઢ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને નિર્ણયો કરવામાં આવ્યાં હતાં. ગત વર્ષની માફક આ વખતે પણ પરિક્રમા પ્રતિકાત્મક રીતે યોજવામાં આવે અને ચારસો લોકોની મર્યાદામાં પ્રતિકાત્મક પરિક્રમા માટે લોકોને મંજૂરી આપવામાં આવે તેવો સર્વસંમતિનો નિર્ણય કરીને સમગ્ર બેઠકની કાર્યવાહી રાજ્ય સરકાર સમક્ષ અંતિમ મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.

ભવનાથ સાધુ મંડળ સરકાર દ્વારા જે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તેના સંપૂર્ણ અમલીકરણની સાથે પરિક્રમા પથ પર સામાન્ય લોકોને પણ પ્રવેશ મળે તેના પક્ષમાં સામે આવ્યા છે. બે દિવસ પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. આ વર્ષે કોરોના ગાઈડલાઈનની તમામ શરતોનું પાલન કરવાની સાથે બે ડોઝ પૂર્ણ કરેલા તમામ સશક્ત-તંદુરસ્ત લોકોને પ્રવેશ આપવામાં આવે તો તે ઇચ્છનીય રહેશે તે બાબતનો પત્ર સીએમ ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.

પરિક્રમાને લઈને મહાદેવ ભારતીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પત્ર દ્વારા જાણ કરી છે. આગામી પરિક્રમાને લઈને તેઓ માની રહ્યાં છે કે કોરોના ગાઈડલાઈનની તમામ શરતોનું પાલન કરવાની સાથે બે ડોઝ પૂર્ણ કરેલા તમામ સશક્ત-તંદુરસ્ત લોકો પરિક્રમા માટે આવેતો પ્રવેશ આપવામાં મંજૂરી આપવામાં આવે. આવો નિર્ણય જો રાજ્ય સરકાર કરે તો આ નિર્ણયને આવકારદાયક માનવામાં આવશે.