Assam floods/ પૂરથી 42 લાખ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 8 લોકોના મોત

આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. નવીનતમ માહિતી અનુસાર, સતત વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 42 લાખ લોકો બેઘર થઈ ગયા છે.

Top Stories India
Assam Flood

આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. નવીનતમ માહિતી અનુસાર, સતત વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 42 લાખ લોકો બેઘર થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે જેના કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતા નથી.

આસામમાં પૂરના કારણે 42 લાખ લોકો બેઘર બન્યા છે, જ્યારે હજારો લોકોને મજબૂરીમાં ઘર છોડવું પડ્યું છે. ભારતીય સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગંભીર દર્દીઓ, વૃદ્ધ મહિલાઓ અને બાળકો સહિત લગભગ 4500 ફસાયેલા સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Assam Flood

સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેનાના જવાનો બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખી રહ્યા છે. બચાવ અભિયાનની સાથે, સેનાના જવાનો હજારો લોકોને મદદ કરવા માટે રાહત શિબિરોમાં સમયસર જરૂરી વસ્તુઓની સપ્લાય પણ સુનિશ્ચિત કરી રહ્યા છે. જેથી લોકોની સારવારની સાથે તેમનો જીવ પણ બચાવી શકાય.

Assam Flood

કચર જિલ્લામાં ભૂસ્ખલન

આસામના કચર જિલ્લામાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે કાટમાળમાં ફસાઈને બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના કચર જિલ્લાના બોરખાઈ ચાના બગીચા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. જ્યાં શનિવારે રાત્રે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં ટેકરીનો મોટો હિસ્સો એક ઘર પર સરકી ગયો હતો. જેના કારણે કાટમાળમાં દટાઈ જવાથી બેના મોત થયા હતા.

આ પણ વાંચો:Zomatoનો ડિલિવરી બોય દલિત હોવાથી ઓર્ડર લેવાનો કર્યો ઇનકાર!