Rajkot/ શિવાનંદ ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો તપાસ પંચની રચના

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, રાજકોટ શિવાનંદ ઉદય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલો

Gujarat Rajkot Breaking News
a 169 શિવાનંદ ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો તપાસ પંચની રચના

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
  • રાજકોટ શિવાનંદ ઉદય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલો
  • જસ્ટિસ ડી.એ.મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચની રચના
  • ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજને સોંપાઇ તપાસ
  • અગાઉ તપાસ જસ્ટિસ કે.એ.પૂંજની ચોંપાઇ હતી તપાસ
  • અન્ય કેસની તપાસમાં પૂંજ વ્યસ્ત હોવાથી તપાસમાં ફેરબદલ
  • 3 મહિનામાં તપાસ પંચ સરકારને રિપોર્ટ સુપ્રત કરશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે.આ ઘટનાની ન્યાયિક તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ  ડી.એ.મહેતા ના અધ્યક્ષે તપાસ પંચ નિમવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.આ તપાસપંચ હવે ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે.

ગૃહ મંત્રી  જાડેજાએ ઉમેર્યું કે, આ ઘટનાની તપાસ માટે અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જસ્ટીસ કે.એ.પૂંજના અધ્યક્ષ પદે તપાસપંચ નીમવાની જાહેરાત કરાઈ હતી પરંતું  પૂંજ અન્ય ન્યાયીક તપાસમાં વ્યસ્ત હોવાથી તેમની વ્યસ્તતાને અને સમયના અભાવને ધ્યાને લઈને ઘટનાની ત્વરિત તપાસ થાય એ આશય થી આ નિર્ણય કરાયો છે આ અંગે આજે જાહેરનામું બહાર પાડી દેવાયુ છે. આ તપાસ પંચ આગામી ત્રણ માસમાં રાજય સરકારને પોતાનો રીપોર્ટ સબમિટ કરશે.

મંત્રી  જાડેજાએ ઉમેર્યુકે, અગાઉ આ ઘટનાની તપાસ કરવા માટે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારા  હાઈકોર્ટના પૂર્વ જસ્ટીશ કે.એ.પૂંજના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમવાની જાહેરાત કરાઈ હતી. ષરંતું પૂર્વ જસ્ટીશ કે.એ.પૂંજ અન્ય ન્યાયીક તપાસમાં વ્યસ્ત હોવાથી તેમની વ્યસ્તતા અને સમયના અભાવને ધ્યાને લઈને આ ઘટનાની ત્વરીત અને સમય મર્યાદામા  તપાસ પૂર્ણ થાય તે આશયથી હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ  ડી.એ.મહેતા ની પંચના અધ્યક્ષપદે તપાસ પંચની જાહેરાત કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, આગના આ બનાવ સંદર્ભે રાજય સરકાર ખૂબજ સંવેદનશીલ છે અને તેથી જ ઘટનાની સત્વરે ન્યાયીક તપાસ થાય એ માટે સરકારે ઝડપી પગલાં લઈને કમીશન ઑફ ઈન્કવાયરી એકટ ૧૯૫૨(૬૦)થી મળેલ સત્તાની રૂએ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ  ડી.એ.મહેતાના અધ્યક્ષપદે આ તપાસપંચ નીમવાનો નિર્ણય કર્યો છે.આ પંચ ઘટનાની તલસ્પર્શી તપાસ ની સાથે સાથે ઘટનાનો રીપોર્ટ આગામી ત્રણ માસમાં સબમીટ કરશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…