Ahmedabad News : રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી લઈને ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે શખ્સોની ધરકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ આરોપીઓએ લોકોને 4 ટકા નફાની લાલચ આપીને રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. બાદમાં તેમની પાસે મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું.
દરમિયાન લોકો પાસે અંદાજે 78 લાખ રૂપિયાનું રોકાણ કરાવીને કંપની બંધ કરી દીધી હતી. નવરંગપુરામાં આ અંગે એક કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોધાવવામાં આવી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરીને બે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આશરે 19 લોકો પાસે રોકાણ કરાવીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રકારે આરોપીઓએ અન્ય લોક સાથે પણ છેતરપિંડી કરી હોવાની શંકાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે