Health News: શરીરના સાંધામાં યુરીક એસિડ જામી જાય તો તેની પીડા અસહ્ય બની જાય છે. આવી તકલીફમાં દુખાવો પણ વધારે થાય છે. કેટલીક વખત પીડા એટલી અસહ્ય થઈ જાય છે કે વ્યક્તિ ચાલી પણ ન શકે. આ સમસ્યાને ગાઉટ પણ કહેવાય છે. જાણો આયુર્વેદમાં યુરિક એસિડની સમસ્યાને કાબૂમાં રાખવા માટેના સરળ ઉપાયો. કેટલીક જડીબુટ્ટીઓ એવી હોય છે જે યુરિક એસિડની સમસ્યાને દુર કરી શકે છે. સાથે જ આ જડીબુટ્ટીઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જટીલ બીમારીમાં પણ રાહત આપે છે.
યુરિક એસિડ માટે આયુર્વેદના સહારે
યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવા માટે ગિલોય સૌથી યોગ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ગણવામાં આવે છે. તેને તમે રોજ સરળતાથી ઉપાયોમાં લઈ શકો છો. સૌથી પહેલા ગિલોયના પાન અને ડાળી લઈ લેવી. ગિલોયને રાત્રે પાણીમાં પલાળી દેવું. સવારે તેને 1 ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળી પાણીને ગાળીને પી જવું. ગિલોય સાથે તમે ગૂગળ, પુનર્નવા, આમળા અને એલોવેરાનું પણ સેવન કરી શકો છો. તેનાથી યુરિક એસિડ કાબૂમાં રહે છે.
આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણી સારૂં કે લીંબુનો શરબત? વધુ ફાયદાકારક છે…
આ પણ વાંચો:યોનિમાર્ગમાં Pimple થાય છે? આ ઘરેલું ઉપાયો અજમાવી સમસ્યા દૂર કરો