ગીર સોમનાથ,
ગીર સોમનાથના કોડીનારમાં ખાનગી સિમેન્ટ કંપનીની માઈન્સની પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ગીર સોમનાથના કોડીનારમાં ખાનગી કંપની દ્વારા સિમેન્ટ માટે માઈન્સ બનાવવામાં આવી હતી.
પરંતુ ચોમાસા દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે આ માઈન્સમાં મોટી માત્રામાં પાણી ભરાયા હતા. પરંતુ તેની પાળની વ્યવસ્થા કરવામાં આવી નહોતી જેને કારણે તેની કાચી પાળ તૂટી જવાને કારણે આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા
ત્યારે ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને આવેદન પાઢવવામાં આવ્યું છે અને વળતરની માંગણી કરવામાં આવી છે. જો સમયસર ખેડૂતોને આ મામલે યોગ્ય ન્યાય નહિં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.