ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના રાજદ્વારી વિવાદ વચ્ચે પંજાબના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ શુક્રવારે કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા સાથે ફોન પર વાત કરી અને તેમને કેનેડિયનો, મુખ્યત્વે ભારતીય ઈમિગ્રન્ટ્સને વિઝા આપવા જણાવ્યું હતું.
સાવનીએ ‘X’પર એક પોસ્ટમાં લખ્યું,”વિઝા સસ્પેન્શનને કારણે એક બેકલોગ છે જે ટૂંક સમયમાં ક્લિયર થવો જોઈએ અને BLS વિઝા એપ્લિકેશન સેન્ટરમાં સબમિશનના 7-10 દિવસમાં વિઝા મંજૂર કરવા જોઈએ” તેમના જણાવ્યા મુજબ, ઈન્ડો-કેનેડિયનો માટે વિઝા માટેની 70 ટકા અરજીઓ નવ શહેરોમાં BLS દ્વારા અને 30 ટકા ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સમાં વોક-ઈન છે.
સાહનીએ કહ્યું કે,મૃત્યુ, ગંભીર બીમારી, લગ્ન વગેરે જેવા કટોકટીના કેસ માટે, કૃપા કરીને નજીકના ભારતીય કોન્સ્યુલેટમાં સુવિધા પોર્ટલ પર અરજી કરો. સાહનીએ એમ પણ કહ્યું હતું કે,પર્યાવરણને બગાડવાનો પ્રયાસ કરનારા બેકાબૂ તત્વો સામે અવાજ ઉઠાવવો એ આપણી સૌથી મોટી ફરજ છે. ઈન્ડો-કેનેડિયનો તેમના હાથે પીડા ભોગવી રહ્યા છે. તમારા ભારતીય મૂળ પર ગર્વ રાખો. તેમણે એ પણ વિનંતી કરી કે વિદેશ મંત્રાલયે કટોકટીની સ્થિતિમાં ઈ-વિઝા આપવા પર વિચાર કરવો જોઈએ.
આ પણ વાંચો: America/ સીરિયામાં અમેરિકાની એર સ્ટ્રાઈક, ઈરાન સમર્થિત સંગઠનોને બનાવ્યા નિશાન
આ પણ વાંચો: Rbi Rule/ લોનની વસૂલાતને લઈને RBIએ નિયમોનું કડકપણે પાલન કરવા આદેશ કર્યો
આ પણ વાંચો: ફટકો/ બજારના કડાકામાં ગુજરાતની કંપનીઓને થયું જંગી નુકસાન