ગુજરાત/ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર, હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો

કોરોનાના કેસનાં કેસનો નવો રેકોર્ડ બની રહ્યા છે. રાજયમાં રોજ 15 ટકાથી વધુ ઝડપે કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે

Top Stories Gujarat
Untitled 59 2 સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર, હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો

રાજયમાં  કોરોના  કેસ સતત વધતાં જોવા મળી  રહયા  છે .કોરોનાના કેસનાં કેસનો નવો રેકોર્ડ બની રહ્યા છે. રાજયમાં રોજ 15 ટકાથી વધુ ઝડપે કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવામાં આવતીકાલે સવારે રાજયનાં 10 શહેરોમાં રાત્રિ કરફયુ સહિતના કોવિડ નિયંત્રણોની મૂદત પૂર્ણથઈ રહી છે.રાજય સરકાર રાત્રિ કરફયુમાંથી મૂકતી આપવાના મૂડમાં નથી હજી એકાદ સપ્તાહસુધી નિયંત્રણો વધારવામાં  આવા ત્યારબાદ સ્થિતિ જોતા આગળનો નિર્ણય લેવામાં  આવશે , જેમાં  આજે સાંજે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી

જેમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

આ  પણ વાંચો:વિવાદ / યુદ્ધ સ્મારકમાં અમર જવાન જ્યોતિની જ્યોતના વિલિનીકરણને લઈને વિવાદ

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે

ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણો ના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ છે.

આ પણ વાંચો:Cricket / ભારતે બીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 288 રનનો લક્ષ્યાંક આપ્યો