ગાંધીનગરઃ ગુજરાતમાં કરચોરી કરનારા પર ફરી GST Raid પાછી જીએસટીએ લાલ આંખ કરી છે. આ વખતે જીએસટી વિભાગે ઇમિગ્રેશન સેવા પૂરી પાડનારાઓનો વારો કાઢ્યો છે. વિઝા કન્સલ્ટન્સી સાથે સંકળાયેલી 22 પેઢીઓના 53 સ્થળ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે.
અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્સી સાથે GST Raid સંકળાયેલી 16, વડોદરામાં 24, સુરતમાં છ, રાજકોટમાં પાંચ અને મહેસાણામાં બે સ્થળોએ દરોડા પાડ્યા છે. આ બધા 53 સ્થળોએ જીએસટીની કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગને વિશ્વાસ છે કે આ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સે કરચોરી કરી છે અને તેની પાક્કી બાતમી પછી જ તે ત્રાટક્યું છે.
ગુજરાત જીએસટી વિભાગની જાણમાં આવ્યું GST Raid છે કે ઇમિગ્રેશન સેવા પૂરી પાડનારાઓમાં અમુક તો વેરો જ ભરતા નથી તો અમુક તેમની આવકની તુલનામાં ઓછો વેરો ભરે છે. તમામ 53 સ્થળોએ કરચોરી અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આમ પણ ઘણા લોકો નિયત મર્યાદા કરતાં વધારે આવક ધરાવતા હોવા છતાં પણ જીએસટી ભરતા જ નથી અથવા તો પૂરતા પ્રમાણમાં જીએસટી ભરતા નથી. આને લઈને જીએસટી વિભાગ નિયમિત રીતે દરોડા પાડતો રહે છે.
આ પણ વાંચોઃ OMG!/ આ છે દુનિયાની સૌથી મોંઘી કીટલી, કિંમત એટલી છે કે તમને ચા રાખવાનું મન નહીં થાય
આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ ભારતના 5 અજીબ ગામ, જ્યાં રહે છે માત્ર કરોડપતિ, બોલે છે સંસ્કૃત, 50 વર્ષથી આ ગામમાં નથી થયા લગ્ન
આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ વાદળી રંગનું હોય છે આ મરઘીનું ઈંડું, જાણો કેમ છે આવું
આ પણ વાંચોઃ OMG!/ દુનિયાની એક એવી જગ્યા જ્યાં 6 મહિના સુધી નથી થતો સૂર્યોદય, છતાં લોકો છે ખુશ
આ પણ વાંચોઃ Railway Track/ રેલ્વે ટ્રેક પર શા માટે રાખવામાં આવે છે તીક્ષ્ણ પથ્થર, શું તમે જાણો છો તેની પાછળનું વિજ્ઞાન