અમદાવાદ,
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સંડોવાયેલા જયંતિ ઠક્કર ઉર્ફે ડૂમરા મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે.જયંતિ ડૂમરાએ રૂપિયા 30 કરોડનું બેંક કૌભાંડ આચર્યું હોવાની હકીકત સપાટી પર આવતા ખળભળાચ મચી ગયો છે.જ્યા જંયંતિ ઠક્કર ઉર્ફે ડૂમરાને 8 દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન SIT દ્વારા આ મામલે જયંતિ ઠક્કરની પૂછપરછ કરવામાં આવશે.આ પૂછપરછ દરમિયાન પણ અનેક રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે છે.