અમદાવાદ,
અમદાવાદમાં ઠંડીની શરૂઆત થઈ છે તેમ છતા રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં 24 દિવસના રોગચાળાના આંકડા પર નજર કરીએ તો 24 દિવસમાં મલેરિયાના 111 કેસ નોંધાયા છે અને તેની સાથે ઝાડા ઉલ્ટીના કેસ 297 જેટલા નોંધાયા છે અને ટાઈફોડ અને કમળાના 400 કેસ નોંધાયા છે.
મહત્વનું છે કે આ આંકડાઓ સરકારી ચોપડે નોંધાયેલા છે હકીકતમાં આ આંકડો તેનાથી વધુ હોઈ શકે છે. તો બીજી બાજુ રોગચાળાને લઈને તંત્ર દાવો કરી રહ્યું છે કે ચોગચાળાને નિયંત્રણમાં લેવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
ઝેરી મલેરિયા- 111
સાદા મલેરિયા- 26
ડેન્ગ્યુ- 146
ચિકન ગુનયા- 16
ઝાડ-ઉલટી- 297
કમળો- 160
ટાઇફોઇડ- 237
કોલેરા – 2
જે આકડા દર્શાવામા આવ્યા છે તે કોર્પોરેશન ચોપડે નોધાયેલા છે એટલેકે હકીકતમા જોવા જઇએ તો આ આંકડા વધુ હોઇ શકે છે.તો તંત્ર આ અગે કામગીરી કરતુ હોવાનો દાવો કરે છે. પણ તેમ છતાં પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે.