આજે કારગિલ વિજય દિવસ છે. આજથી લગભગ ૧૯ વર્ષ પહેલા ભારતીય સેનાના જવાનોએ કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી હતી અને કારગિલ પર તિરંગો લહેરાવ્યો હતો. અંદાજે ૬૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતને જીત મળવાની સાથે જ દુનિયાએ પણ ભારતની તાકાતનો પરચો દેખ્યો હતો.
૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન આ જ દિવસ હતો, ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનાર પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાડોશી દેશની સેનાએ પોતાની હાર સ્વીકારી હતી.