ભરૂચ
ભરૂચમાં પુર દરમ્યાન 17 વ્યક્તિઓના જીવ બચાવનાર બહાદુર પીએસઆઇ પી.સી.સરવૈયાને ભરૂચ ડીસીપી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ 5 દિવસ અગાઉ ભરૂચમાં પુરએ તારાજી સર્જી હતી. તે દરમિયાન ઝઘડિયાના રાજપારડી વિસ્તારમાં આવેલ અવિધા ગામમાં ખૂબ પાણી ભરાયા હતા અને એક બસ 17 જેટલા મુસાફરો ફસાઈ ગયા હતા.
જેની જાણ ઝઘડિયા એસડીએમને કરી હતી..પરંતુ સમય પર રેસ્ક્યુ ટીમ ન આવતા છેવટે રાજપારડી પીએસઆઇ પી.સી.સરવૈયા એમની ટીમ સાથે ઘટનાસ્થળે આવી બચાવની કામગીરી કરી હતી..