પોરબંદર,
પોરબંદરમાં મધ્યરાત્રિએ આચારસંહિતાનો ભંગ થયો હતો.સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભાગવત સપ્તાહમાં આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હતો.જો કે બાબતે અપક્ષ ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ પણ નોંધાવી છે..ચોપાટી પાર્ટી પ્લોટમાં મધ્ય રાત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ના સંત દ્વારા રમેશ ધડુક ભાજપમાંથી જીતી જશે તો તેમના ખર્ચે સપ્તાહ કરવામાં આવશે તેવું જાહેરમાં બોલ્યા હતા.જો કે સ્વામી આવું બોલ્યા તે સમયે બાબુ બોખરિયા, રમેશ ધડુક અને ભાજપના આગેવાનો ઉપસ્થિત હતા.જે બાબત ધ્યાને આવતાં અપક્ષ ઉમેદવાર ભનુ નાગા ઓડેદારાએ ચૂંટણીપંચમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.