ભાવનગર,
ભાવનગરના ભાલમાં આવેલા પુર બાદ સ્થિતિ વધુ વિકટ જોવા મળી રહી છે. એક તરફ પાણીના ભરાવાને લીધે બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. અહિયાં માણસોને ભારે પરેશાનીનો સમજણો કરવો પડી રહ્યો છે. તો મૂંગા પશુઓ પણ તેનો ભોગ બની રહ્યાં છે. પુરના પાણીમાં ફસાયેલા કાળિયારને શ્વાને ફાડી ખાધા ઘટના સામે આવી છે.
આપને જણાવી દઈએ કે અભ્યારણની બહાર વસતા 12થી વધુ કાળિયારના મોત થતાં વન વિભાગે 5 ટીમ બનાવી કાળિયારને સલામત સ્થળે ખસેડવની કામગીરી હાથ ધરી છે. જો કે સવાઈનગર, માઢિયા અને પાળિયાદમાં પાણી હજુ ઓસર્યા ન હોવાને કારણે બચાવ ટીમને પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.