ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રરજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરયા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 581 કોરોના નવા કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,74,522 થઈ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 453 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,66,766 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3338 છે.
આજે નોધાયેલા કેસની વિગત
અમદાવાદ 126
વડોદરા 93
સુરત 147
રાજકોટ 58
જામનગર 12
ગાંધીનગર 8
ભાવનગર 9
જૂનાગઢ 5
ભરૂચ 18
મહેસાણા 17
ખેડા 14
આણંદ 10
કચ્છ 9
સાબરકાંઠા 7
મોરબી, અમરેલી, મહિસાગર, પંચમહાલ 5 – 5 કેસ
ગીર સોમનાથ – વલસાડમાં 4 – 4
પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર, નવસારીમાં 3 – 3
નર્મદા, દાહોદ – દેવભૂમિ દ્વારકામાં 2 – 2
સુરેન્દ્રનગર – તાપીમાં 1 – 1 કેસ નોંધાયા છે.