૧૪ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં મતદાન દરમિયાન ૧૨ બેઠકો પર EVM મશીન, VVPAT માં ખરાબી તેમજ જૂથ અથડામણ અને આગચંપીના બનાવો બન્યા હતા. આ તમામ મુદ્દાઓને લઈને ચુંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ આ ફરિયાદને જોતા ચુંટણીપંચ દ્વારા ૧૨ બેઠકો પર ૧૭ ડિસેમ્બરના રોજ પુન:મતદાન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ૧૨ બેઠકો પર યોજાશે પુન:મતદાન,
- વડગામના છનીયાણા બુથ
- વિરમગામના બુથ નંબર ૨૭
- દસક્રોઈના નવા નરોડા બુથ
- સાવલીના નહરા અને સાકરડા
- વિસનગરના રાલિસણામાં
- બહુચરાજીના પુલદરા અને કટોસણ
- મોડાસાના જામઠા
- અમદાવાદના વેજલપુરના બુથ નંબર ૫૮, વસ્ત્રાલના બુથ નંબર ૫૫ અને ખાડિયા
- સાવલીના પિલોળ
- સંખેડાના ગોજ્પુર સોનગીરી