હત્યા/ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થઇ હત્યા,જાણો વિગત

રાજકોટના અમીન માર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બંગલામાં કેર ટેકરની અજાણ્યા શખ્સે હત્યા કરતા ચકચાર મચી છે. ડિસમિસ વડે વૃદ્ધ કેર ટેકરની હત્યા કરી ફરાર થતા શખ્સને પાડોશી જોયો હતો.

Top Stories Gujarat
5 52 નરેશ પટેલના વેવાઈના બંગલામાં થઇ હત્યા,જાણો વિગત
  • નરેશ પટેલના વેવાઇના બંગલામાં હત્યા
  • સિક્યુરિટી ગાર્ડની હત્યા
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી

રાજકોટના અમીન માર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બંગલામાં કેર ટેકરની અજાણ્યા શખ્સે હત્યા કરતા ચકચાર મચી જવા પામી  છે. ડિસમિસ વડે વૃદ્ધ કેર ટેકરની હત્યા કરી ફરાર થતા શખ્સને પાડોશી જોયો હતો. જોકે આ હત્યા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈ પ્રવીણભાઈ પટેલના બંગલામાં થઈ હતી. હત્યા પાછળ ચોરી કે લૂંટની ઈરાદો ન હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. હત્યા કરનાર શખ્સ મૃતકના સંપર્કમાં હોવાનું પોલીસ શંકા દર્શાવી રહી છે.  શખ્સોએ વિષ્ણુ કૂચરા નામના સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી છે

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બી-૨૩ નંબરના બંગલામાં મંગળવારે રાત્રે 8 વાગ્યે કેરટેકર તરીકે નોકરી કરતા 67 વર્ષીય વિષ્ણુભાઈ ઘુચરાની હત્યા કરાઈ હતી. અજાણ્યા શખ્સે બંગલામાં આવીને ડિસમિસના બે ઘા ઝીંકી વિષ્ણુભાઈ ઘુચરાની હત્યા કરી હતી. સમગ્ર મામલાની વાત કરીએ તો, આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈ પ્રવીણભાઈ પટેલનો છે. જેઓ વડોદરા ખાતે રહે છે. આજે પ્રવીણભાઈ મોબાઈલમાં બંગલાના સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા. ત્યારે વિષ્ણુભાઈ બેશુદ્ધ અવસ્થામાં જમીન પર ઢળી પડેલા નજરે પડ્યા હતા.

જેથી નરેશ પટેલને જાણ કરી હતી. નરેશ પટેલના ડ્રાઇવરે જઈને તપાસ કરતા વિષ્ણુભાઈની હત્યા કરાયેલી લાશ પડી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી ગયો હતો. પોલીસે આસપાસમાં તપાસ કરતા પાડોશી શંકાસ્પદ હલચલ જોઈ હતી અને એક અજાણ્યા શખ્સને જતા જોયો હતો. ત્યારે પડોશીએ કોનું કામ છે પૂછતાં અજાણ્યા શખ્સે કહ્યું હતું કે, વિષ્ણુભાઈનું કામ હતું એટલે આવ્યો હતો તેવો જવાબ આપ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા શખ્સના સીસીટીવી ફૂટેજ મેળવી FSL અને ડોગ સ્ક્વોરર્ડની મદદથી શોધખોળ શરૂ કરી છે.