અમદાવાદના ચાણક્યપુરીમાં આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનો કેસ ફરી એકવાર ચર્ચા છવાયેલો છે. પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ બા થોડા દિવસ પહેલા આત્મવિલોપનની ઘમકી આપી હતી જેના બાદ આજે ફરી ડિમ્પલ બા નું ગાંધીનગથી નિવેદન સામે આવ્યું છે.
નિવેદનમાં પીએસઆઈની પત્નીએ જણાવ્યું કે અમે પ્રદીપ સિંહ જાડેજા (ગૃહમંત્રી)ને ત્યાં જઈએ છીએ અને ત્યાં અમે આવેદનપત્ર આપ્યું છે જેમાં લખ્યું છે કે મેં જે આપઘાતની ચીમકી આપી હતી જેમાં મેં કહ્યું હતું કે જો 7 દિવસમાં પોલીસ તંત્ર મારા માટે કોઈ કાર્યવાહી કરશે અને એનડી પટેલની ઘરપકડ કરશે. મને પૂરતો ન્યાય આપવામાં આવશે અને જો ન્યાય આપવામાં નહીં આવે તો હું આપઘાતનું પગલું ભરીશું પરંતુ બીજા દિવસથી જ પોલીસ તંત્ર થોડુંક હરકતમાં આવ્યું છે અને તેમની જે કામગીરી છે તે સરખી રીતે કરે છે.જેથી મને સંતોષ છે. જેથી મેં આ કાર્યક્રમ મોફુક રાખ્યો છે પણ મેં મારા નિવેદનમાં એ વાત પણ જાણવી છે
ડિમ્પલ બા એ વધુમાં જણાવ્યું થોડા દિવસનો ટાઈમ આપ્યો છે અને જો આ થોડા દિવસમાં અને જો આ ટાઈમ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું આગળનું પગલું લેતા વિચારીશ નહીં. પોલીસ અધિકારીઓનું કેવું છે કે અમે તમને ન્યાય આપવાઈ શું. અને મેં મારા તરફથી 15 દિવસનો ટાઈમ આપ્યો છે. હવે કાઈં કહેવા જેવું જ નથી મારા પતિને ભગવાને બ્લોક કર્યા છે અને મને આ લોકોએ બ્લોક કરી છે. મારે કાઈં પણ મારી વાત કેવી હશે તો આ લોકો મને અંદર એન્ટ્રી જ નહીં આપે. કારણ કે હાલ એવું કહ્યું છે કે ડિમ્પલ બા ના નામને બ્લોક કરી દીધું છે. અને હાલ મને પોલીસની નિગરાનીમાં અંદર લાઈન જવામાં આવે છે જાણે હું કોઈ આતંકવાદી હોવ આ રીતે તો કોઈ આતંકવાદીને પણ લઇ જવામાં આવતો નથી. હું મારા પતિ માટે ન્યાય મંગુ છું આઈના માટે હું દોષી થઇ ગઈ ચુ અને જે દોષી છે તે હાલમાં પણ કુલ્લેઆમ ફરે છે અને હાલ ઓન ડ્યુટી છે.