Not Set/ રાજકોટ: પથ્થરો અને લાકડાના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, 5 શખ્સો ફરાર

રાજકોટ, રાજકોટના રૈયાઘાર રોડ પર એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ યુવાનની હત્યા પથ્થરો અને લાકાડાના ઘા મારીને કરવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૃતક રાજુ કટાર નામના યુવક રૈયાધાર વિસ્તારમાં દારૂ પીવા માટે ગયો હતો. જ્યાં રાજુની અન્ય 5 લોકો સાથે બોલાચાલી થઇ  હતી. જો કે આ બોલાચાલી ઉગ્ર થતાં આ 5 […]

Rajkot Gujarat Trending
mantavya 184 રાજકોટ: પથ્થરો અને લાકડાના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, 5 શખ્સો ફરાર

રાજકોટ,

રાજકોટના રૈયાઘાર રોડ પર એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ યુવાનની હત્યા પથ્થરો અને લાકાડાના ઘા મારીને કરવામાં આવી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૃતક રાજુ કટાર નામના યુવક રૈયાધાર વિસ્તારમાં દારૂ પીવા માટે ગયો હતો. જ્યાં રાજુની અન્ય 5 લોકો સાથે બોલાચાલી થઇ  હતી.

mantavya 185 રાજકોટ: પથ્થરો અને લાકડાના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, 5 શખ્સો ફરાર

જો કે આ બોલાચાલી ઉગ્ર થતાં આ 5 યુવકોએ રાજુ કટાર પર હુમલો કર્યો હતો. રોષે ભરાયેલા આ પાંચ યુવકોએ રાજુને લાકડા તેમજ પથ્થર મારી માર્યો હતો.

mantavya 186 રાજકોટ: પથ્થરો અને લાકડાના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, 5 શખ્સો ફરાર

જેથી રાજુ કટારનું ઘટના સ્થળે કરૂણ મોત  નિપજ્યું હતું, રાજુનો મોતને ઘાટ ઉત્તારીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

mantavya 187 રાજકોટ: પથ્થરો અને લાકડાના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, 5 શખ્સો ફરાર

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને -જાણ  કરી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને ફરાર આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી..