રાજકોટ,
રાજકોટના રૈયાઘાર રોડ પર એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ યુવાનની હત્યા પથ્થરો અને લાકાડાના ઘા મારીને કરવામાં આવી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૃતક રાજુ કટાર નામના યુવક રૈયાધાર વિસ્તારમાં દારૂ પીવા માટે ગયો હતો. જ્યાં રાજુની અન્ય 5 લોકો સાથે બોલાચાલી થઇ હતી.
જો કે આ બોલાચાલી ઉગ્ર થતાં આ 5 યુવકોએ રાજુ કટાર પર હુમલો કર્યો હતો. રોષે ભરાયેલા આ પાંચ યુવકોએ રાજુને લાકડા તેમજ પથ્થર મારી માર્યો હતો.
જેથી રાજુ કટારનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું, રાજુનો મોતને ઘાટ ઉત્તારીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને -જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને ફરાર આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી..