રાજકોટ,
રાજકોટ શહેરના મુંજકા ખાતેના આર્ષ વિધા મંદિરમાં છેલ્લા બે દિવસથી વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સુબ્રમણ્યમ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
જો કે આમ તો આ કાર્યક્રમથી મિડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. પરંતુ રાજકોટના એરપોર્ટ પર સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર જલ્દી બનવુ જ જોઇએ.
તેમજ સભામાં પણ મિડીયા માટે નોએન્ટ્રી રહી હતી. પરંતુ અમિત શાહ 2019ને લઇને રામમંદિર મુદે સંતો-મહંતોને મળી કંઇક રણનિતી નક્કી કરનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
અમિત શાહે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતુ. આ કાર્યક્રમમાં પણ મીડિયા માટે નૉ એન્ટ્રી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 2019ની ચૂંટણીને લઇને અમિત શાહ રામમંદિર મુદ્દે સંતો-મહંતોને મળીને રણનીતિ ઘણી શકે છે.