ભાવનગરના પાલીતાણામાં દીવાલ ધરાશયી થતા અહીં કામ કરતા ચાર મજૂરો દબાયા હતા,જેમાંથી 2ના મોત થયા હતા.દબાયેલા મજૂરો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જેમાંથી એકની હાલત ગંભીર છે.
પાલીતાણાના આરીસા ભવન ખાતે એક બાંધકામની સાઇટ ચાલી રહી હતી તે દરમ્યાન આ બનાવ બન્યો હતો.
બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિકોએ કાટમાળ હટાવીને દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. હાલ તૂટી ગયેલી દીવાલ હટાવવાની કામગીરી ચાલી રહી છે.ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે અમદાવાદનાં રિવરફ્રન્ટ ઉપર દીવાલ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં બે મહિલા મજૂરોના મોત થયા હતા. જ્યારે અન્ય બે મજૂરો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.