વડોદરા,
વડોદરામાં કારેલીબાગનાં ગરબા મહોત્સવમાં ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. છેલ્લાં સતત 23 વર્ષથી યોજાતાં કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસીયેશનનાં ગરબા મહોત્સવમાં સતત સાતમા વર્ષે 25,000 દિવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સહપરિવાર ઉપસ્થિત રહી માં અંબાની આરતી કરી હતી.
ગરબાનાં મેદાનમાં ઉપસ્થિત 25 હજાર ખેલૈયાઓએ પણ એકસાથે માતાજીની આરતી કરતાં સમગ્ર ગરબા ગ્રાઉન્ડ દિવડાઓની રોશનીથી ઝળહળી ઉઠતાં અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.
ખેલૈયાઓએ ગરબામાં રાષ્ટ્રધ્વજ ફરકાવતાં દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો.