લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કરી દીધું છે, તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં મોટો ભંગાણ પડી રહ્યો છે.
પોરબંદરથી ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. આજે સાંજે પાંચ કલાકે અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. અર્જુન મોઢવાડિયાએ 2022ની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના બાબુ બોખિરિયાને હરાવી જીત મેળવી હતી.
રાજુલાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અંબરિશ ડેરની સી.આર.પાટીલ સાથે મુલાકાત થઇ છે, તે દરમિયાન જ તેમને કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, તેઓ પણ હવે ભાજપ પાસે જઇ રહ્યાં છે. તેમને કોંગ્રેસને પોતાનું રાજીનામું આપી દીધું છે. આમ કોંગ્રેસને બે મોટા ફટકા લાગ્યા છે, ભાજપે લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની વધુ બે વિકેટો પાડી દીધી છે. નોંધનિય છે કે અગાઉ સી.જે.ચાવડા જેવા સિનિયર નેતાએ પણ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે અને હવે વધુ નેતાઓ ભાજપમાં જઇ રહ્યાં છે.
ગુજરાત કોગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે ત્યારે એક એવા સમાચાર પણ ચર્ચામાં છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ બાબતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે અર્જૂન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં છે. રાહુલ ગાંધીની યાત્રાને લઈને તેઓ કામ કરી રહ્યા છે. આજે સવારે જ તેમની જોડે વાત કરી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ