અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો ગર્ભ માણસના મગજ જેવા આકારનો હોય છે.
ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઈસ્ક્રીમ, શીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે.
અખરોટ અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમાં પાંચ થી દસ વષનો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાતં કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.
પલાળેલા અખરોટને નિયમિત ખાવાના ફાયદા:
– ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે
– વજન ઘટાડવામાં મદદ કરે
– ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે
– તણાવ અને ડિપ્રેશનથી રાહત અપાવે
– વાળને લાંબા અને મજબૂત બનાવે
– અનિંદ્રાની સમસ્યાથી રાહત અપાવે
– હાડકાં અને દાંતને મજબૂત બનાવે
– હૃદયરોગથી રાહત અપાવે
– કેન્સરના સેલ્સને વિકસતા અટકાવે
આ પણ વાંચો- Recipe: મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું ધમધમતું શાક, મોં થશે ચોખ્ખું
આ પણ વાંચો- Health / સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો
આ પણ વાંચો- Weightloss / વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ
આ પણ વાંચો- શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ
આ પણ વાંચો- Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો- Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો- Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ