Heart Attack/ ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં 19 વર્ષના યુવકનું મોત

રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Top Stories Gujarat Rajkot
હાર્ટ એટેકથી

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકના વધુ કેસો આવી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક અને ઘટનાસ્થળે જ મૃત્યુના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં  એટેકથી જીવ ગુમાવ્યો છે. ચોંકાવનારી વાત એ હતી કે તે હજુ માત્ર 19 વર્ષનો હતો.

આપને જણાવીએ કે, રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.  યુવકના અવસાનથી પરિવાર ગમગીન થી ગયો હતો. જુવાન આદર્શનો પરિવાર તેની અચાનકની અલવીદાથી શોકમાં સરી પડ્યો હતો. પરિવાર માટે આ સમાચાર કોઈ વજ્રઘાતથી ઓછા ન હતા.

મહત્વનું છે કે, સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુરત નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.વ્યક્તિ ત્રણ દિવસ અગાઉ જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ વ્યક્તિ રાજસ્થાનનો વેપારી છે જે સુરતથી કાપડ લઇને વેચી રહ્યો હતો. આ ઘટના પછી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આ પણ વાંચો:ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

આ પણ વાંચો:ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

આ પણ વાંચો:આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે