ભારતીય હવામાન વિભાગે ગુરુવારે મેઘાલયમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળીને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ચક્રવાત રેમલને કારણે દક્ષિણપશ્ચિમ ચોમાસું ગુરુવારે દરિયાકાંઠાના કેરળ અને ઉત્તરપૂર્વના ભાગોમાં ત્રાટક્યું હતું, જે હવામાન વિભાગની આગાહી કરતાં એક દિવસ વહેલું હતું. આઈએમડીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે મેઘાલય સહિત ઉત્તરપૂર્વના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે.”
ચક્રવાતે છેલ્લા કેટલાક દિવસોમાં હિમાલયન રાજ્યમાં વિનાશ વેર્યો હતો, જેના પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે 271 ગામોમાં લગભગ 5,619 લોકો પ્રભાવિત થયા છે.
મહેસૂલ અને આપત્તિ પ્રધાન કિરમેન શાયલાએ જણાવ્યું હતું કે ચક્રવાત બાદ છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે 910 મકાનોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે તાત્કાલિક રાહત માટે કુલ 19.85 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ