Bihar News: બિહાર (Bihar)ના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન (Alliance) કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રો મુજબ નીતીશ કુમાર 28 જાન્યુઆરીએ 9મી વખત ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. પક્ષ પલટાના અહેવાલોને લઈને રાજકીય ઉથલપાથલ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.
બિહારમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળ્યો છે. આગામી કેટલાક કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. આરજેડી (RJD) અને જેડીયુ(JDU) વચ્ચે ખટાશ વધી રહી છે તેવું મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે. તેમજ બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરીથી સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવામાં આવી શકે છે. સીએમ નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર આગામી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે. ભાજપ સાથે મળીને તે નવી સરકાર બનાવશે. સાથે જ સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. બીજેપી નેતા સુશીલ મોદી કહે છે કે રાજકારણમાં દરવાજા બંધ થાય છે અને દરવાજા પણ ખુલે છે. હકીકતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ થઈ ગયા છે, ત્યારબાદ ભાજપના નેતાઓ સતત કહી રહ્યા છે કે તેઓ જેડીયુ સાથે કોઈ સમજૂતી નહીં કરે. બિહાર
બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડે પટના જવા રવાના
બિહારમાં જેડીયુ સાથે સરકાર બનાવતા પહેલા, ભાજપ બિહારના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં વિશ્વાસ વધારવાનું કામ કરવા માંગે છે. આ માટે આવતીકાલની બેઠકમાં જિલ્લા પ્રમુખ અને જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ પટના બોલાવવામાં આવ્યા છે. બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડે પણ આવતીકાલે સવારે પટના જવા રવાના થશે.
તે જ સમયે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને HAM નેતા જીતન રામ માંઝીએ કહ્યું કે, 20 જાન્યુઆરી પછી બિહારમાં થોડો ફેરફાર થશે. તાજેતરમાં નીતીશ કુમારે આરજેડી વિરુદ્ધ ઘણી વાતો કહી હતી. હવે આ લોકોનું ગઠબંધન નહીં ચાલે. બિહારની વર્તમાન રાજનીતિ અંગે ભાજપના નેતા નીતિન નવીને કહ્યું કે હવે આ અંગે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે. થોડા દિવસો પહેલા કર્પૂરી ઠાકુરના જન્મદિવસ પર નીતિશ કુમારજીએ કહ્યું હતું કે અમે ભત્રીજાવાદના વિરોધમાં છીએ.
આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત
આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે
આ પણ વાંચો:આ પણ વાંચો:આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ