@દિવ્યેશ પરમાર
Surat News: દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં દિવ્યાંગ બાળકો દ્વારા દીવડાઓ રંગવામાં આવે છે.આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગો સાથે મળી દીવડાઓમાં અલગ અલગ રંગ પૂરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો સાથે જ દિવ્યાંગો સાથે ગૃહમંત્રી ગરબે ઘૂમ્યા હતા.
દિવાળી પર્વની તેયારીઓ અત્યારથી શરુ થઇ ગઈ છે. દિવાળી પર્વ પર સૌ કોઈ લોકો ઘરના શુશોભન માટે વસ્તુઓ ખરીદતા હોય છે ત્યારે સુરતમાં એક ડે કેર સેન્ટરમાં આવતા દિવ્યાંગો દ્વારા દીવડાઓ રંગવામાં આવે છે…સુરતના રુંઢ – મગદલ્લા વિસ્તારમાં આવેલ નિર્મિત ડે કેર સેન્ટર દિવ્યાંગોની સાર – સંભાળ રાખી તેમને અલગ અલગ વસ્તુઓ બનાવતા શીખવે છે ત્યારે દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઇ દિવ્યાંગો પાસે માટીના દીવડાને અલગ અલગ રંગોથી રંગી તેમાં ડેકોરેશન કરાવી તેને માર્કેટમાં વેચવામાં આવે છે.
દિવ્યાંગોની અદ્ભુત કલાનો વિડીયો સોશિયલ મીડિયામાં ગૃહમંત્રીએ જોતા તેઓ પોતાને ત્યાં જતા રોકી શક્યા ન હતા અને આજે સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી નિર્મિત ડે કેર સેન્ટર પહોચ્યા હતા જ્યાં ગૃહમંત્રીએ દિવ્યાંગો સાથે માટીના દીવડામાં રંગો પૂર્યા હતા અને દીવડા ડેકોરેશન કર્યા હતા. દિવ્યાંગોની કલા – કારીગરી જોઈ ગૃહમંત્રી સ્તબ્ધ થયા હતા સાથે જ ભાવુક પણ થઇ હતા.ગૃહ મંત્રી દિવ્યાંગો સાથે ગરબે પણ ઘૂમ્યા હતા.ગ્રુહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હું દિવ્યાંગો માટે બ્રાન્ડ એમ્બેસેડર છુ.એમના દ્વારા બનાવવામાં આવેલા દીવડા વેચાય તે માટે હું મહેનત કરીશ.
લારી ગલ્લા અને લોકલ દુકાનોમાં દીવડા વેચાય તેવા પ્રયાસ કરીશ.આ દિવડાને લોકો વધારેમાં વધારે ખરીદે તેવી અપીલ પણ ગૃહમંત્રીએ કરી હતી.સાથેજ કચ્છ ને લઈ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.કહ્યું હતું કે કચ્છ દુનિયા નું ફેવરિટ ફરવાનું સ્થળ બની ગયું છે.એક સમય હતો જ્યારે લોકો પાણી પીવા માટે બોટલ લઈને સાથે જતા હતા .ટુરિઝમ સેક્ટર ના માધ્યમ થકી આજે લોકો ને ફરવા માટે સારા સ્થળ મળ્યા છે જેથી વડાપ્રધાન ને બે હાથ જોડી વંદન કરું છું.
આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી
આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન
આ પણ વાંચો:દાહોદમાંથી છોકરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ
આ પણ વાંચો:રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો