eid e milad un nabi/ ઈદે-મિલાદની ઉજવણીમાં છૂટછાટ,15 વ્યક્તિઓ અને એક વાહન થઇ શકશે સામેલ

ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે

Gujarat
id e milad ઈદે-મિલાદની ઉજવણીમાં છૂટછાટ,15 વ્યક્તિઓ અને એક વાહન થઇ શકશે સામેલ

ગુજરાત સરકાર દ્વારા તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે.

ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે તેવું ગાઈડલાઈનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, 9 દિવસ પહેલા રાજ્યમાં સરકારે રાત્રિ કરફ્યૂનો સમય વધાર્યો હતો. સરકારે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કરફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કરફ્યૂ  રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કરફ્યૂ વચ્ચે પસાર થશે.

WhatsApp Image 2021 10 17 at 17.03.24 ઈદે-મિલાદની ઉજવણીમાં છૂટછાટ,15 વ્યક્તિઓ અને એક વાહન થઇ શકશે સામેલ

નોંધનીય છે કે, ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે પરમિશન આપવા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ પીરજાદાએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના ડીજીપીને પણ મળી કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે જુલુસ કાઢવા પરમિશન અંગે વાતચીત કરી હતી.