રાજકોટ,
રાજકોટ જેતપુરમાં ચાલુ વર્ષમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ખેતી માટે પાણીની તંગી સર્જાઇ હતી. આથી સરકાર ખેડૂતો માટે એક મગત્વનો નિર્ણય લીધો છે. જેમાં જેતપુરના ભાદર 1 ડેમ માંથી ખેડૂતોને પિયત માટે 1000 એમસી એફટી પાણી છોડાયુ હતું. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી ઉપલેટા અને જુનાગઢ તાલુકાના ખેડૂતોને લાભ મળશે. વરસાદની ખેંચને પગલે આ તાલુકા ના મોટા ભાગના ખેડૂતો ના પાક ને અસર થાવ પામેલ હતી…સરકારના પાણી છોડવાના નિર્ણયને લીધે ખેડૂતોને મોટો ફાયદો થશે..
સરકારના પાણી છોડવાના નિર્ણયને લીધે ખેડૂતોને થશે ફાયદો.
જેતપુરના ભાદર 1 ડેમ માંથી ખેડૂતોને પિયત માટે 1000 એમસી એફટી પાણી છોડાયુ.
જેતપુર, ધોરાજી ઉપલેટા અને જુનાગઢ તાલુકાના ખેડૂતોને મળશે લાભ..
ભાદર 1 ડેમ માંથી પાણી છોડવાથી અંદાજીત 10000 હેકટરથી પણ વધારે જમીનને પિયત માટે પાણી મળશે.
7000 થી 8000 હજાર ખેડૂતોને આનો લાભ મળશે અને તેના મુર્જાતા પાકને જીવનદાન મળશે.