Surat News: સુરતમાં હોમિયોપેથી ડોક્ટર બ્રેઈન ડેડ થતાં પરિવારના લોકોએ તેમના ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો હતો. સુરતમાં એક તબીબ બેઈન ડેડ થતાં તેમના શરીરના 7 અંગોનું દાન કરી અન્ય લોકોને નવજીવન આપ્યું હતું. હોળીના દિવસે એક જિંદગીએ 7 લોકોના જીવનમાં રંગ ભર્યા હતા. જાણીતા હોમિયોપેથી ડોક્ટરના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયુ હતું.
સુરત શહેરમાં સિટી લાઈટ ખાતે રહેતા હોમિયોપોથી ડોક્ટર દેવાંગભાઈને ચક્કર આવતા પરિવારે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. 47 વર્ષીય તબીબનું MRI કરાવતા મગજમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મગજની એન્જીયોગ્રાફી કરાવતા મગજમાં લોહીની નસમાં બ્લોકેજ હોવાનું બહાર આવ્યું હતું. 22 માર્ચે તેઓને તેઓને બ્રેઇન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બાદમાં તેમના મિત્રની સલાહના પગલે પરિવાર સહમત થતા ઓર્ગન દોનેટ લાઈફ સંસ્થા દ્વારા ડો.દેવાંગભાઈના અંગદાનનો સ્વીકાર કરાયો હતો. પરિવારની સંમતિ બાદ હ્ર્દયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 48 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરાયું. લીવર અને કિડની અમદાવાદની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. જ્યારે ફેફસાનું દાન જામનગરના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં કરાયું.
આ પણ વાંચોઃ Banaskantha/ પાલનપુરના પટોસણમાં એકસાથે દૂધાળા પશુઓના મોતથી પંથકમાં ચકચાર…
આ પણ વાંચોઃ Enforcement Dirctorate/ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શા માટે ‘આપ’ને એક કંપની અને કેજરીવાલને ડાયરેક્ટર માને છે? શું છે મામલો
આ પણ વાંચોઃ સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી
આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો