રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણનાકેસમાં વધારોજોવા મળી રહ્યો છે .જેમાં આજે 29 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,26,489 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું થયું નથી.
આ પણ વાંચો :National / નિશા દહિયાની હત્યાના સમાચાર ખોટાં, તેણીએ વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી
આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને હરાવીને 24 દર્દીઓ સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી સાજા થયેલા કુલ 8,16,654દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ પણ કોરોનાના 235કેસ એક્ટિવ છે.
આ પણ વાંચો :ગુજરાત / રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું
ગુજરાત સરકાર કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવતો નહીં. એ દિવસ દૂર નથી જ્યારે સંપુર્ણ દેશમાં રસીકરણ પુર્ણ થશે.