હવે મહારાષ્ટ્રના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ફોન રિસીવ કરતાં જ હેલોને બદલે વંદે માતરમ બોલવું ફરજિયાત બનશે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે આ જાહેરાત કરી હતી. આ અંગે ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવશે. આના પર તેઓ દલીલ કરે છે કે હેલો જેવા શબ્દો વિદેશી છે. તેથી, આ શબ્દોનો ત્યાગ કરવો જરૂરી છે. તેમનું કહેવું છે કે વંદે માતરમ માત્ર એક શબ્દ નથી પરંતુ દરેક ભારતીયની ભાવના છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરે સામે બગાવત કરીને એકનાથ શિંદે મુખ્યમંત્રી બની ગયા, છેલ્લે કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રના સાસંકૃતિક મત્રીએ ભારતની પરંપરા જાળવાઇ રહે તે માટે એક આદેશ આપ્યો છે, ટેલિફોન પર હેલો શબ્દનો પ્રયોજન કરવાનો નથી હવે વંદે માતરમનો ઉપયોગ કરવાનો રહેશે.