એન્કાઉન્ટર/ ઉત્તરપ્રદેશમાં STFએ મુખ્તાર અન્સારીના બે ર્શાપ શૂટરને એન્કાઉન્ટરમાં કર્યા ઠાર

UP STF એ બુધવારે રાત્રે લખનઉના ફૈઝુલ્લાગંજના બંધા રોડ પર મુખ્તાર અંસારીના શૂટર અલીશેર ઉર્ફે ડૉક્ટર અને તેના સાથી કામરાન ઉર્ફે બન્નુને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.

Top Stories India
up 3 ઉત્તરપ્રદેશમાં STFએ મુખ્તાર અન્સારીના બે ર્શાપ શૂટરને એન્કાઉન્ટરમાં કર્યા ઠાર

UP STF એ બુધવારે રાત્રે લખનઉના ફૈઝુલ્લાગંજના બંધા રોડ પર મુખ્તાર અંસારીના શૂટર અલીશેર ઉર્ફે ડૉક્ટર અને તેના સાથી કામરાન ઉર્ફે બન્નુને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. અલીશેરે 22 સપ્ટેમ્બરે ઝારખંડમાં બીજેપી અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા અધ્યક્ષ જીતરામ મુંડાની હત્યા કરી હતી. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે આઝમગઢમાં બસપા નેતા કલામુદ્દીનની હત્યામાં પણ સામેલ હતો.

એસટીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું કે અલીશેર જીતરામ મુંડાની હત્યા બાદ ફરાર હતો. તે મૂળ આઝમગઢના દેવગાંવનો છે જ્યારે કામરાન આઝમગઢના ગંભીરપુરનો છે. એએસપી વિશાલ વિક્રમ સિંહે જણાવ્યું કે અલીશેરનું લોકેશન મડિયાનવ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૈઝુલ્લાગંજ પાસે મળ્યું હતું. જેના પર એસટીએફ ત્યાં પહોંચી ગયું.

જ્યારે STFએ તેને ઘેરી લીધો તો બંને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી ગોળીબારમાં અલીશેર અને કામરાનને ગોળી વાગી હતી. બંનેને ગંભીર હાલતમાં ભાઉરાવ દેવરસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની પાસેથી કારબાઈન, બે પિસ્તોલ, એક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા હતા.

ASP વિશાલ વિક્રમ સિંહે કહ્યું કે અલીશેર આઝમગઢમાં બસપા નેતા કલામુદ્દીનની હત્યામાં સામેલ હતો. તે સમયે તે હત્યા કરીને દુબઈ ભાગી ગયો હતો. તેણે દુબઈ સ્થિત વેપારીના કહેવાથી સોપારી લઈને આ હત્યા કરી હતી. એ જ રીતે ઝારખંડમાં ભાજપના નેતા જીતરામની પણ પાંચ લાખ રૂપિયાની સોપારી લઈને હત્યા કરવામાં આવી હતી.

STFએ દાવો કર્યો છે કે મુખ્તાર ગેંગનો અલીશેર ઘણો નજીક બની ગયો હતો. તે મુખ્તારના શાર્પ શૂટર તરીકે ઓળખાયો. પૂર્વાંચલમાં તેણે ઘણી ઘટનાઓ અને રિકવરી કરી. તેણે આ બધું મુખ્તારના કહેવા પર કર્યું છે.