Not Set/ ગયામાં સિયાલદાહ રાજધાની એક્સપ્રેસ પર પથ્થરમારો, છ ઘાયલ

બિહારના ગયામાં સિયાલદાહ રાજધાની એક્સપ્રેસ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બની છે. જેમાં છ વ્યક્તિ ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બિહારના ગયા જિલ્લાના માનપુર રેલ્વે સ્ટેશન પાસે સિયાલદાહ રાજધાની એક્સપ્રેસ પર કેટલાક માથાભારે તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બની છે. આ પથ્થરમારાની ઘટનામાં સિયાલદાહ રાજધાની એક્સપ્રેસના […]

India Trending
Stones Pelting on Sealdah Rajdhani Express in Gaya, 6 Injured

બિહારના ગયામાં સિયાલદાહ રાજધાની એક્સપ્રેસ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બની છે. જેમાં છ વ્યક્તિ ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બિહારના ગયા જિલ્લાના માનપુર રેલ્વે સ્ટેશન પાસે સિયાલદાહ રાજધાની એક્સપ્રેસ પર કેટલાક માથાભારે તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બની છે. આ પથ્થરમારાની ઘટનામાં સિયાલદાહ રાજધાની એક્સપ્રેસના ઓછામાં ઓછા છ મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલ આ પથ્થરમારાની ઘટનામાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બાઓના કાંચ પણ તૂટી ગયા છે. જો કે આ ઘટના અંગે હજુ વિસ્તૃત વિગતો ઉપલબ્ધ થઈ શકી નથી. આ મામલે રેલ્વે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.