સંયુક્ત રાષ્ટ્ર ભારતે ફરી એકવાર સરહદ પારના આતંકવાદના મુદ્દે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પર પ્રહારો કર્યા છે. ભારતે સતત સીમાપાર આતંકવાદ અને ડ્રોન દ્વારા ડ્રગ્સ અને શસ્ત્રોની દાણચોરીના મુદ્દે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના ઉગ્ર પ્રહારો કર્યા હતા. સીમાપાર આતંકવાદને કારણે ભારતને થયેલા મોટા નુકસાનનો ઉલ્લેખ કરતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂતે પાકિસ્તાનનું નામ લીધા વિના સુરક્ષા પરિષદને જણાવ્યું કે આ આતંકવાદી જૂથો ડ્રોનનો ઉપયોગ કરીને સરહદ પારથી ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરે છે. તેમની પ્રવૃત્તિઓમાં વધારો અન્ય દેશના સહયોગ વિના શક્ય નથી.
પાકિસ્તાન પર નિશાન સાધતા ભારતે તેનું નામ લીધા વગર તેને સમર્થન કરી રહેલા ચીનની પણ ટીકા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ગર્જનાથી પાકિસ્તાન અને ચીનની હાલત ખરાબ થઈ ગઈ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે શુક્રવારે સુરક્ષા પરિષદમાં ‘સ્મોલ આર્મ્સ’ પર ખુલ્લી ચર્ચામાં આ ટિપ્પણી કરી હતી. કંબોજે કહ્યું, “કેટલાક દાયકાઓ સુધી આતંકવાદની બિમારી સામે લડ્યા પછી, ભારત આતંકવાદીઓ દ્વારા નાના શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરીના જોખમથી સારી રીતે વાકેફ છે.
પાકિસ્તાન ડ્રોન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે
પાકિસ્તાનનું નામ લીધા વિના ટીકા કરી રહેલા રુચિરા કંબોજે પાકિસ્તાન સરકાર તરફ આંગળી ચીંધીને કહ્યું કે, “આતંકવાદી જૂથો આપણી સરહદો દ્વારા હથિયારોની ગેરકાયદેસર દાણચોરી દ્વારા સીમાપાર આતંકવાદ અને હિંસા કરે છે, જેના કારણે આપણે ઘણું સહન કરીએ છીએ. અને હવે તેમાં ડ્રોનનો ઉપયોગ પણ સામેલ છે.” કંબોજે કહ્યું કે આ આતંકવાદી સંગઠનો પાસે હથિયારોની માત્રા અને ગુણવત્તામાં થયેલો વધારો આપણને વારંવાર યાદ અપાવે છે કે તેઓ બીજા દેશના સમર્થન વિના અસ્તિત્વમાં નથી. આવું કહીને તેણે ચીનને પણ આડે હાથ લીધું હતું.
આ પણ વાંચો :Raghav Chadha/અરવિંદ કેજરીવાલે રાઘવ ચઢ્ઢાને આપી મોટી જવાબદારી, શું આ ભવિષ્યનો કોઈ સંકેત છે?
આ પણ વાંચો :Rajasthan Politics/રાજસ્થાનઃ હવે ભાજપના બધા ગાશે ‘ભજન’, પણ કેમ?
આ પણ વાંચો :Covid Subvariant/કેરળમાં કોરોનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, JN.1 નો પહેલો કેસ મળ્યો