Not Set/ રાજ્ય સરકાર ઈચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છે, પણ ડેટા એકઠો કરવો જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ દ્વારા આજે SC/ST કર્મચારીઓને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા મામલે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ પેનલ દ્વારા વર્ષ 2006ના ચુકાદાને યથાવત રાખતા કહ્યું કે, એમ. નાગરાજના ચુકાદા પર ફરીથી વિચાર કરી શકાય નહીં.  દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આર.એફ. નરીમન, જસ્ટિસ સંજય કિશન કૌલ […]

Top Stories India Trending
Supreme Court's Judgement, no reservation in promotion of SC / ST personnel in government jobs

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ દ્વારા આજે SC/ST કર્મચારીઓને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા મામલે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ પેનલ દ્વારા વર્ષ 2006ના ચુકાદાને યથાવત રાખતા કહ્યું કે, એમ. નાગરાજના ચુકાદા પર ફરીથી વિચાર કરી શકાય નહીં.  દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આર.એફ. નરીમન, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વવાળી પાંચ જજની બંધારણીય પેનલ આજે આ અંગે ચુકાદો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ મામલો હવે સુપ્રીમ કોર્ટની સાત (7) જજોની પેનલને મોકલવામાં આવશે નહીં.

આ ચુકાદો સંભળાવતા જસ્ટિસ નરીમને કહ્યુ હતું કે, નાગરાજ મામલે સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય યોગ્ય હતો. આથી આના પર ફરી વિચારણા કરવી યોગ્ય નથી. એટલે કે ફરી 7 જજોની ખંડપીઠને મોકલાવવી જરૂરી નથી. રાજ્ય સરકાર ઈચ્છેતો સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકે છે. પ્રમોશન આપતા પહેલા આંકડા રજૂ કરવા પડશે.  એટલે કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો આરક્ષણ આપી શકે છે અને ન ઈચ્છે તો આરક્ષણ ન આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, પ્રમોશન માટે ડેટા ભેગો કરવો જરૂરી નથી

એમ. નાગરાજનો ચુકાદો શું છે?

સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2006માં એમ. નાગરાજને લઈને ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ક્રિમી લેયરની અવધારણા સરકારી નોકરીઓમાં પદોન્નતિ (પ્રમોશન-બઢતી)માં એસસી/એસટી અનામતમાં લાગુ કરી શકાય નહીં. જેવી રીતે અન્ય પછાત વર્ગોમાં ક્રિમી લેયરને લઈને અગાઉના બે ચુકાદા વર્ષ 1992ના ઈન્દ્રા સાહની અને અન્ય વિરુદ્ધ કેન્દ્ર સરકાર (મંડલ આયોગ ચુકાદો) અને વર્ષ 2005નો ઈવી ચિન્નૈય્યા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના ચુકાદામાં કહેવાયું હતું.

દેશમાં વોટ બેંકની રાજનીતિ થઈ રહી છે -પ્રશાંત ભૂષણ

આ ચુકાદામાં કહેવાયું હતું કે, એસસી/એસટીને પ્રમોશનમાં અનામત આપવા માટે સરકારે તેમના પછાતપણા અને પર્યાપ્ત પ્રતિનિધિત્વ ન હોવાના આંકડા ભેગા કરવા પડશે. હકીકતમાં આ અગાઉ પક્ષકારોના વકીલ શાંતિ ભૂષણે એમ. નાગરાજના ચુકાદા પર પુર્નવિચારને લઈને કેન્દ્ર સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. ભૂષણે જણાવ્યું હતું કે, આ વોટબેંકનું રાજકારણ છે અને આ મુદ્દાને રાજકીય બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પદોન્નતિમાં કોટા કલમ 16(4) હેઠળ સંરક્ષિત નથી, જ્યાં ક્રિમી લેયરની અવધારણા આવી જશે.

નાગરાજના ચુકાદાને પ્રશાંત ભૂષણે ગણાવ્યો ન્યાયાસંગત

ભૂષણે જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં SC/ST માટે કોટા અનિવાર્ય કરવાની મંજૂરી આપી શકાય નહીં અને તે બંધારણની મૂળ સંરચનાનો ભંગ કરશે. ભૂષણે એમ. નાગરાજના ચુકાદાને ન્યાયાસંગત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે શું SC/ST માટે સરકારી નોકરીઓમાં પદોન્નતિમાં અનામત વિભિન્ન કેડરો કે સેવાઓમાં તેમના પ્રતિનિધિત્વની અપર્યાપ્તતા કે ડેટા વગર જ પ્રદાન કરી દઈ શકાય?

કોર્ટમાં કેન્દ્ર સરકારે આ તર્ક આપ્યો હતો

હકીકતમાં આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવાયું હતું કે, વર્ષ 2006માં એમ. નાગરાજના મામલે આવેલો ચુકાદો ST/SC કર્મચારીઓના પ્રમોશનમાં અનામત આપવામાં વિધ્ન નાખી રહ્યો છે. જેને લઈને આ ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ ચુકાદામાં અનામત આપવા માટે આપવામાં આવેલી દરેક શરતો પર દરેક કેસમાં અમલ કરવો એ વ્યવહારિક રીતે શક્ય નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, વર્ષ 2006માં આવેલા આ ચુકાદામાં કહેવાયું હતું કે, પ્રમોશનમાં રિઝર્વેશન આપતા પહેલા એ સાબિત કરવું પડશે કે સેવામાં SC/STનું પૂરતું પ્રતિનિધિત્વ છે કે નહીં અને તે માટે ડેટા આપવો પડે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટોર્ની જનરલે કહ્યું હતું કે SC/ST સમુદાય સામાજિક અને આર્થિક રીતે પાછળ રહે છે અને SC/STમાં પછાતપણાને સાબિત કરવાની જરૂર નથી. એટોર્ની જનરલે કહ્યું હતું કે 1000 વર્ષથી SC/ST જે ભોગવી રહ્યાં છે તેને સંતુલિત કરવા માટે SC/STને અનામત આપવામાં આવી છે, આ લોકો આજે પણ ઉત્પીડનના શિકાર થઈ રહ્યાં છે.

કેન્દ્રએ એમ. નાગરાજના ચુકાદા પર ઉઠાવ્યા હતાં આ સવાલ

વર્ષ 2006માં એમ. નાગરાજના ચુકાદા પર સવાલ ઉઠાવતા એટોર્ની જનરલે કહ્યું હતું કે, આ ચુકાદામાં અનામત આપવા માટે અપાયેલી શરતો પર દરેક કેસમાં અમલ કરવો એ વ્યવહારિક રીતે શક્ય નથી.

તમે SC/STને નોકરીઓમાં અપર્યાપ્ત પ્રતિનિધિત્વ કેવી રીતે સાબિત કરશો. શું તે દરેક માટે હશે? શું સમગ્ર વિભાગ માટે હશે. આ તમામ ફેક્ટર કેવી રીતે નિર્ધારીત થશે. એટોર્ની જનરલે જણાવ્યું હતું કે, સરકાર SC/ST સમુદાય માટે સરકારી નોકરીઓમાં 22.5 ટકા પદો પર પ્રમોશનમાં અનામત ઈચ્છે છે, ફક્ત આ સંખ્યા નોકરીઓમાં તેમના વ્યાજબી પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરી શકે છે.